વિશ્વ ઉમિયાધામ - જાસપુર, અમદાવાદ

એમ્પાવરમેન્ટ હબ

વિશ્વ ઉમિયાધામ - જાસપુર, અમદાવાદ

તા.૨૮/૨૯ ફેબ્રુઆરી,૨૦૨૦ ના રોજ થયેલ શિલાન્યાસ સમારોહ

વિશ્વ ઉમિયાધામ - જાસપુર, અમદાવાદ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નિર્મિત,
“વિશ્વ ઉમિયા ધામ”

વિશ્વ ઉમિયાધામ - જાસપુર, અમદાવાદ

જવારા પ્રોગ્રામ

વિશ્વ ઉમિયાધામ - જાસપુર, અમદાવાદ

તા. ૪ માર્ચ, ૨૦૧૯ ના રોજ થયેલ મહા ભૂમિપૂજન સમારોહ

વિશ્વ ઉમિયા ફોઉન્ડેશન ના હોદેદારો
શ્રી આર. પી. પટેલ
પ્રમુખ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
હાર્દિક સ્વાગત
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન

વિશ્વના પાટીદારોની એક વૈશ્વિક મજબૂત સંસ્થા એટલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે એક સામાજિક, સેવાભાવી અને માનવતાવાદી સંસ્થા છે જેની સ્થાપના પણ મા ઉમિયાના આદેશ થકી જ શક્ય બની હોય તે નિર્વિવાદ છે. મા ઉમિયા પ્રત્યેની પાટીદારોની આસ્થાને મૂર્તિમંત રૂપ આપતાં વિશ્વકક્ષાના, ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણ થકી સમગ્ર સમાજને શ્રદ્ધાના એક તાંતણે જોડી શકાય અને સાથે જ આ ભવ્ય પરિસરમાં જ સમાજના ઉત્થાન માટેની વિવિધ શૈક્ષણિક, વ્યાવસાયિક, આરોગ્ય અને રોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકાય તે માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં વૈષ્ણોદેવી મંદિર નજીક, જાસપુર ગામ પાસે આશરે 3 લાખ ચોરસ વાર જેટલા વિશાળ વિસ્તારમાં એક વૈશ્વિક સામાજિક એમ્પાવરમેન્ટ હબનું નિર્માણ કરવાનો દૃઢ નિર્ધાર કરવામાં આવ્યો છે જેમાં અનેકવિધ યોજનાઓ દ્વારા સામાજિક સેવા કાર્યો કરવામાં આવશે.

વધુ વાંચો

કાર્યક્રમો

મા. મુખ્યમંત્રીશ્રી ના હસ્તે ઉમા ઉપવનનું ઉદ્ઘાટન Dt. 31-07-2022
વિશ્વઉમિયાધામએ માત્ર મંદિર જ નહીં, રાષ્ટ્રગૌરવ અને પર્યાવરણ ઉત્થાનનું કેન્દ્ર છે. 1551 ફૂટ લાંબા તિરંગા સાથે 1 હજાર બાળકોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું. વૈશ્વિક સ્તરે કાર્બન ક્રેડિટ લેનારી દેશની પ્રથમ સામાજિક બનશે વિશ્વઉમિયાધામ. સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી રૂપે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ન માત્ર સરકાર પણ સામાજિક સંસ્થાઓની પણ અમૃત મહોત્સવ ઉજવવાની જવાબદારી હોય. વિશ્વના કરોડો પાટીદારોની આસ્થાના કેન્દ્ર સમા વિશ્વઉમિયાધામ જાસપુર- અમદાવાદ દ્વારા આજે 75 હજાર વૃક્ષારોપણ અને 75 હજાર તિરંગાઓના વિતરણનો સંકલ્પ લેવાયો છે. જેના ભાગ રૂપે જન-જનની ભાગીદારી અભિયાન અંતર્ગત 1.5 લાખ લોકોને એક વૃક્ષનું દાન (500રૂ.) આપી વિશ્વઉમિયાધામ ઉપવન અભિયાન સાથે જોડવાનો સંકલ્પ કરાયો છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રથમ વૃક્ષનું રોપણ કરી વિશ્વઉમિયાધામ ઉપવનની શરૂઆત કરાઈ છે. આ સંદર્ભે 7 મી ઓગસ્ટના દિવસે અમદાવાદ અને અન્ય 20 જિલ્લાઓ સહિત રાજ્યના વિવિધ 50 સ્થળે સવારે 10થી 12 વાગ્યામાં 75 હજાર પરિવારોમાં 75 તિરંગાઓનું વિરતણ દરેક સમાજના અગ્રણીઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયેલ. વધુમાં વિશ્વઉમિયાધામ સાથે જોડાયેલા અમેરિકા અને કેનેડા પરિવારો પણ પર્યાવરણ અભિયાનમાં જોડાયા છે.
તારીખ 19/06/2022 ના રોજ વિશ્વ યોગ ગુરુ શ્રી બાબા રામદેવ જી વિશ્વ ઉમિયાધામ - જાસપુર ખાતે મુલાકાત લીધી હતી.
આજ રોજ વિશ્વ ઉમિયાધામ ખાતે પરમ પૂજ્ય યોગગુરુ બાબા રામદેવજીનુ પાવન આગમન થયું. પૂજ્ય બાબા રામદેવજીએ જગતજનની શ્રી ઉમિયા માતાજી ના નવનિર્મિત મંદિરની શીલાનું પૂજન કર્યું ત્યારબાદ સંસ્થાના પ્રમુખશ્રી આર. પી. પટેલ તેમજ ઉપપ્રમુખ શ્રી પ્રહલાદભાઇ પટેલ કામેશ્વર તેમજ સંસ્થાના દાતાશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ ની હાજરીમાં પૂજ્ય બાબા રામદેવજીનું સ્વાગત કરવામાં આવ્યું. આ શુભદિને સ્વામી રામદેવજીએ તેમની દિવ્ય વાણીથી ઉપસ્થિત સર્વે ભાવિક ભક્તોને મા ઉમિયા પ્રત્યેની શ્રધ્ધા સમાજ પ્રત્યેની- દેશ પ્રત્યેની ભાવના તથા યોગ વિશે માહિતગાર કરી સર્વેને ભાવ વિભોર કર્યા.




આપની નોંધણી કરો

દૈનિક અપડેટ્સ મેળવો