વીયુએફ વર્લ્ડ
Home વીયુએફ વર્લ્ડ
સ્વાગત
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન

આત્મીય સ્વજનો,

કડવા પાટીદારના તમામ પરિવારોને વિશ્વ ઉમિયાધામના માધ્યમથી વિશ્વસ્તરીય શિસ્તબધ્ધ સંગઠનની રચના દ્વારા એકમેકથી જોડી સમાજના દરેક વર્ગને આર્થિક, સામાજીક અને શૈક્ષણિક રીતે સમૃધ્ધ બનાવવાના અને સવાઁગી વિકાસ કરવાના મુખ્ય ધ્યેય સાથે સ્વપ્નદ્રષ્ટા અને કર્મયોગી વ્યક્તિઓના સામુહિક સંકલ્પથી “વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન” અસ્તિત્વમાં આવેલ છે. આ સંસ્થા મા ઉમિયાના પરિવારોને સામર્થ્યવાન બનાવી સન્માન સહિત વિશ્વના પડકારો સામે અડિખમ ઉભો રહે તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવાના ઉદ્દેશ સાથે ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા તત્પર અને સતત કાર્યશીલ છે.
આવો, આપણા ખમીરવંતા સમાજની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી પરીણામ લક્ષી યોજનાઓનું આયોજન કરીએ અને સમસ્ત કડવા પાટીદાર કુળના વિકાસની નવી ક્ષિતિજો સર કરવાના અને આવનારી પેઢી આપણા માટે ગર્વ લઈ શકે એવું કંઇક કરવાના દ્રઢ સંકલ્પ લઇએ.
આવો, આપણા જમીરવંતા સમાજમાં રહેલ આત્મબળ, મનોબળ, વિદ્યાબળ, ધનબળ, મિત્રબળ, બુદ્ધિબળ, સંઘબળ અને સંકલ્પબળ નો એક સાથે સુઘડિત આયોજન અને ઉપયોગ કરી વૈશ્વિક સ્તરે આપણી એક અલગ ઓળખ નક્કી કરીએ.

મુખ્ય ઉદ્દેશ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પાયામાં મુખ્યત્વે સમગ્ર વિશ્વના કડવા પાટીદાર સમાજની એકતા અને અખંડિતતા જાળવીને સમુદાયને શૈક્ષણિક, આર્થિક, વ્યાવસાયિક અને સામાજિક રીતે વિકાસના નવા શિખરો સર કરાવવાનો ઉદ્દેશ રહેલો છે.

પાટીદારોનો ઈતિહાસ

પાટી: એટલે જમીન, દાર: એટલે ધારણ કરનાર
આમ, જમીન ધારણ કરનાર અને સખત મહેનત કરી જમીનમાંથી પેદા કરનાર એટલે ‘પાટીદાર’! આજે સમગ્ર વિશ્વમાં પાટીદાર એ પરિશ્રમ અને પ્રગતિનો પર્યાય છે… અને આ શક્ય બન્યું છે જગત-જનની મા ઉમિયાના આશીર્વાદ અને કૃપા થકી.

દૈનિક અપડેટ્સ મેળવો